navratri nibandh gujarati નવરાત્રી વિશે નિબંધ
Navratri Essay Gujarati
નવરાત્રી ભારતીય હિન્દુ તહેવાર છે નવરાત્રી દર વર્ષે ચોમાસા ની ઋતુમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં હોય છે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ નવા નવા પોષાક ધારણ કરી ગરબે રમે છે નવરાત્રી ના નવ દિવસ દેવી ના વિવિધ રૂપોને સમર્પિત છે
નવરાત્રી શબ્દ બે ભાગમાં વહેંચાયેલો છે 9 એટલે કે નવ રાત્રી એટલે કે રાત નવરાત્રિના દસમા દિવસે દશેરા પર્વ ઉજવવામાં આવે છે દશેરા ને અધર્મ પર ધર્મનો વિજય ગણવામાં આવે છે અને રાવણ દહન કરવામાં આવે છે દંતકથા અનુસાર મહિસાસુર નામ નો રાક્ષસ રાજા ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શક્તિશાળી વરદાનો મેળવ્યા હતા
શક્તિશાળી બન્યા પછી સામાન્ય લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું હતું જે તેના સિવાય ભગવાનની પૂજા કરતા હતા તેને કેટલું અભિમાન આવી ગયું હતું તે બીજા ભગવાનોની પોતાના કરતા નીચા ગણતો હતો દેવી દેવતાઓમાં પણ ભઈ વધવા લાગ્યો મહિસાસુર ને કારણે ત્યારે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને શિવને વિનંતી કરી ત્યારે ત્રિદેવ એ ભેગા મળી દેવી દુર્ગાની રચના કરી જ્યારે દેવી દુર્ગા નો સામનો રાક્ષસ સાથે થયો ત્યારે મહિસાસુર દેવી દુર્ગા ની સુંદરતા થી આકર્ષિત થયો મહિસાસુર દેવી દુર્ગા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો
તેને રાક્ષસોને કહ્યું કે આપણે દેવી દુર્ગાની યુદ્ધમાં હરાવવાની છે બધાજ અસુરો તથા રાક્ષસોને મહિસાસુર પર વધારે પડતો વિશ્વાસ હતો દેવી દુર્ગા સાથે નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને નવમી રાત્રે દેવી દુર્ગાએ રાક્ષસનો વધ કર્યો તેથી તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને દસમા દિવસે દશેરાનું પર્વ ઉજવવામાં આવે છે
નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે અને નવમા દિવસે નાની છોકરીઓ પર કન્યાપૂજન કરી ઉપવાસ તોડવામાં આવે છે અને તેમને પૈસા બંગડીઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ આપવામાં આવે છે
નવરાત્રિમાં નાની બાળાઓને અલગ-અલગ ભેટ આપવામાં આવે છે નવરાત્રી ભારતમાં બધે જ ઉજવાય છે પણ ગુજરાતમાં લોકો ધામધૂમથી ઉજવે છે ગરબા અને દાંડિયા રાસ રમી નવરાત્રી તહેવારની ધામધૂમથી ઉજવાય છે
પશ્ચિમ બંગાળમાં પણ આ તહેવાર નું ખાસ મહત્વ છે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને મોતીને શણગારવામાં આવે છે નવરાત્રી દરમિયાન પશ્ચિમ બંગાળ ની સ્ત્રીઓ બંગાળી સાડી પહેરે છે અને અનોખા પ્રકારનું નૃત્ય કરે છે આ તહેવાર દેવી દુર્ગા પ્રત્યે ભક્તિ અને પ્રેમ સાથે ઉજવવામાં આવે છે નવરાત્રી ભારતમાં ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે
નવરાત્રી નું મહત્વ
આપણા દેશમાં તહેવારો તો ઘણા બધા આવે છે પણ નવરાત્રીનું એક ખાસ મહત્વ છે દેવો અને દાનવો વચ્ચે નવ દિવસ યુદ્ધ ચાલ્યું જેમાં દસમા દિવસે અસત્ય ઉપર સત્યની વિજય થઈ તે માટે નવરાત્રીને વર્ષો વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે
નવરાત્રીમાં લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે માતાજીના મંદિરોને શણગારે છે લોકો નવે નવ દિવસ એકટાણું પણ કરે છે નવરાત્રી ચોમાસામાં હોય છે તેથી ઘણા પ્રકારના રોગ વરસાદને કારણે ફાટી નીકળે છે તેથી માતાજીની એ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે બધાની રક્ષા કરજો લોકો માટીનો ગરબો લઈ આવે છે અને તેમાં નવે નવ દિવસ દીવો પ્રગટાવે છે અને દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે નદીમાં ગરબાને પધરાવી દે છે
નવરાત્રી નું વૈજ્ઞાનિક મહત્વ
નવરાત્રીમાં વૈજ્ઞાનિક કારણ ની વાત કરીએ તો નરાત્રિમાં વર્ષાઋતુ ચાલતું હોવાથી શરીરમાં ઘણા પ્રકારના રોગ ઉપજે છે શરીરની શારીરિક રીતે શુદ્ધિ કરવા માટે ઉપવાસ રાખવામાં આવે છે અને હવન અને પૂજા પાઠ કરવાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે દાંડીયારાસ રમવાથી શરીરની સ્નાયુઓ છૂટી પડવા લાગે છે જેથી શરીરને એક આનંદનો અનુભવ થાય છે તેથી શરીરના રોગો ધીમે ધીમે નીકળવા માંડે છે નવરાત્રીનું આ વૈજ્ઞાનિક મહત્વ માનવામાં આવે છે