દશેરા વિશે નિબંધ dasera nibandh gujarati
દશેરાનો તહેવાર સપ્ટેમ્બર પૂર્ણ થતા અથવા ઓક્ટોબર મહિનામાં આવે છે દશેરા એક વર્ષાઋતુ નો તહેવાર છે દશેરા ને વિજયા દશમી પણ કહેવાય છે દશેરા એક ભારતીય હિન્દુ તહેવાર છે દશેરાના ઉત્સવ નો સંબંધ સીધો નવરાત્રી સાથે છે પહેલા નવરાત્રી આવે છે અને પછી દસમા દિવસે દશેરા આવે છે દશેરા નવ દિવસ નવરાત્રી પૂરી થયા પછી દસમી દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે લોકો શસ્ત્રોનું પૂજન કરે છે
દશેરા નું બે પ્રકાર નું મહત્વ છે એક તો દુર્ગા પૂજાનું અને બીજું ભગવાન શ્રીરામ નું મા દુર્ગા એ નવ દિવસ મહિસાસુર સાથે યુદ્ધ કરી નવમા દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેની ખુશીમાં દશેરાને દિવસે દુર્ગા પૂજા કરવામાં આવે છે અને બીજું દશેરાને દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો તેથી તેને વિજયા દશમી તરીકે પણ ઉજવવામાં આવે છે
આ દિવસે ઘણી જગ્યાએ દશેરા નો મેળો પણ ભરાય છે લોકો મેળામાં ખૂબ આનંદ માણે છે અને ઘણી જગ્યાએ રામાયણ ના અલગ-અલગ પાત્રો ભજવી રામલીલા પણ રમાય છે વિજયાદશમી ના ઉત્સવમાં લોકો રાવણના પૂતળાના બનાવીને તેને દશેરાને દિવસે સળગાવે છે લોકો ફટાકડા પડે છે આ ઉત્સવનો આનંદ નાના-મોટા બધા જ લેછે દશેરાનો તહેવાર આખા ભારતભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે આ રીતે અધર્મ પર ધર્મનો વિજય માનવામાં આવે છે અને દશેરાનો ઉત્સવ ઊજવવામાં આવે છે