વર્ષાઋતુ નિબંધ varsha ritu nibandh in gujarati
વર્ષાઋતુ ભારતમાં એક ખાસ પોતાના મહત્વ ધરાવે છે ભારતમાં મુખ્યત્વે એક વર્ષમાં ત્રણ ઋતુ હોય છે એક ઋતુ નો સમયગાળો ચાર માસ હોય છે જેમાં પહેલી ઋતુ છે શિયાળો જે દિવાળી પછી શરૂ થાય છે
શિયાળા ખૂબ જ કડકડતી ઠંડી પડે છે બીજી ઋતુ શરૂ થાય છે ઉનાળો ઉનાળામાં ખૂબ જ તડકો પડે છે ઉનાળામાં સૂર્યનો તાપ એટલો પડે છે કે સમુદ્રના પાણીને ગરમ કરી વરાળ રૂપે આકાશમાં કાળા કાળા વાદળા બંધાય છે આ ક્રિયા સતત ચાર મહિના સુધી ચાલે છે પછી ચોમાસુ એટલે કે વર્ષા ઋતુની શરૂઆત થાય છે
ચોમાસાનું બીજું નામ જ વર્ષા ઋતુ વર્ષા ઋતુની શરૂઆત અષાઢ મહિનાથી થાય છે આકાશ કાળા કાળા વાદળો ઘેરાવા લાગે છે ઉનાળામાં જે સમુદ્ર નું પાણી વરાળ બની આકાશમાં વાદળા બંધાઈ ગયા હતા તે હવે વરસવા લાગે છે આ મંડળમાં વીજળીના ચમકારા થવા લાગે છે
અને વીજળી ના અવાજો સાથે વરસાદ વરસવા લાગે છે વર્ષાઋતુને બધા ઋતુઓનો રાજા પણ કહેવામાં આવે છે કારણકે જો યોગ્ય રીતે વરસાદ ન વરસે તો આખું વર્ષ ફેલ માનવામાં આવે છે
કારણ કે વરસાદ વગર ખેડૂતોના પાક નિષ્ફળ થાય છે મકાન અને બિલ્ડીંગ બનાવતા કારીગરોને પાણી વગર ખૂબ જ મુશ્કેલી થાય છે દાર અને કૂવાના પાણી તળિયે વયા જાય છે અમુક જગ્યાએ સાવ ખાલી પણ થઈ ગઈ છે
વર્ષાઋતુમાં વરસાદના કારણે કુવાના અને દાર ના પાણી ઉપર આવી જાય છે વરસાદ પડતા જ નદીઓ ભરાવા લાગે છે અને જો ખૂબ વરસાદ પડે તો નદીઓ ત્રણ ગણી વધી જાય છે જેના કારણે પુર જેવી સ્થિતિ પણ ઉભી થાય છે
વર્ષાઋતુ આવતાં સાથે બીમારી પણ આવે છે કારણકે વરસાદથી જે ખાડા પાણીથી ભરાયેલા રહેશે તેમાં મચ્છર પોતાના ઇંડા મૂકે છે અને ડેન્ગ્યૂ મલેરિયા જેવી બીમારીઓ લાવે છે વર્ષા ઋતુની શરૂઆત થતા જંગલો અને મેદાનો પણ લીલા ઘાસથી છવાઈ જાય છે
જંગલ વિસ્તારમાં જે ઝાડ ઉનાળામાં પોતાના પાંદડા ગુમાવે છે તે ફરીથી કોળાવા લાગે છે ધરતી લીલીછમ થઈ જાય છે વર્ષાઋતુમાં આકાશમાં સુંદર મજાનું મેઘ ધનુષ પણ જોવા મળે છે જેના સાત રંગો હોય છે વર્ષાઋતુ નો સમયગાળો ચાર મહિનાની હોય છે