ઉતરાયણ નિબંધ ગુજરાતી uttarayan nibandh gujarati utrayan Essay Gujarati
ઉતરાયણ ભારતીય હિન્દુ તહેવાર છે બાળકોનો સૌથી પ્રિય તહેવાર ઉતરાયણ છેઉત્તરાયણની શરૂઆત ઉત્તરાયણ પહેલાં જ થઈ જાય છે અને કારીગરો અલગ-અલગ પ્રકારના કલરની પતંગ બનાવવાની શરૂઆત કરી દે છે અને નાના મોટા આકાર ની પતંગ તૈયાર કરવા માંડે છે સાથે સાથે પતંગ ઉડાડવા માટે દોરા ને કલર કરી દોરા ના માંજા બનાવવા લાગી છે ઉત્તરાયણ નજીક આવતા જ બજારોમાં તેની ઝલક જોવા મળે છે બજારો અલગ અલગ પ્રકારની પતંગો અને માંજા ઓ થી ભરેલી હોય છે
લોકો ઉત્તરાયણના આગલા દિવસે પતંગો ખરીદવા લાગે છે ઉતરાયણના દિવસની સવાર પડતા જ બાળકો સવારે વહેલા ઉઠી પોતાની પતંગ સાથે ધાબા ઉપર પતંગ ચગાવવા લાગી જાય છે અને સાથે સાથે ધાબા ઉપર લાઉડ સ્પીકર ગોઠવી મનપસંદ ગીતો વગાડે છે આખો દિવસ લપેટ લપેટ કાપોકાપો ના અવાજો થી ગુંજતો રહે છેહવે તો આ ઉત્સવનો આનંદ નાના મોટા બધા પતંગ ચગાવીને લે છે ઉતરાયણ એક એવો તહેવાર છે કે જે અંગ્રેજી મહિના પ્રમાણે આવે છે
14 મી જાન્યુઆરી ભારતીય હિન્દુ તહેવાર લગભગ બધા જ હિન્દુ કેલેન્ડર મુજબ આવે છે પણ ઉત્તરાયણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે છે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉતરાયણ નામ એટલે પ્રસિદ્ધ છે કે સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરવાનું શરૂ કરે છે તેથી આ ઉત્સવ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે મકરસંક્રાંતિ નામ પણ સૂર્ય સાથે જોડાયેલું છે સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે પ્રક્રિયાને સંક્રાંતિ કહેવાય છે
એક વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ હોય છે એમાંથી સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે તેને મકરસંક્રાંતિ કહે છે મકરસંક્રાતિનો એક કિસ્સો મહાભારત સાથે પણ જોડાયેલો છે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ જ્યારે તીરપથારી હતા ક્યારે તેને પોતાનો દેહ છોડવાનું મકરસંક્રાંતિના દિવસે પસંદ કર્યું હતું આપણો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ પતંગ શબ્દ વપરાયો છે ઉતરાયણ દાન પુણ્યનું પણ એ ખાસ મહત્વ છે આ દિવસે લોકો ગાયુના ગોંદરે નીરણ નાખે છે અને નાના બાળકોને ચોકલેટ બિસ્કીટ જેવી પ્રસાદી પણ આપે છે કહેવાય છે કે ઉતરાયણ માં દાન કરતા પુણ્ય મળે છે