કમળ વિશે નિબંધ kamal par nibandh
કમળ પાણી મા ઉગતી એક જલીય વનસ્પતિ છે કમળ વેયતનામથી લઈ અફઘાનિસ્તાન સુધી કુદરતી રીતે નદી નાળા અને તળાવ માં ઉગે છે પરંતુ આફ્રિકાના દેશોમાં અને ઓસ્ટ્રેલિયામાં કમળ નું વાવેતર કરવામાં આવે છે ઇસવી સન ૧૮૮૭માં એશિયાઈ દેશોમાંથી કમળ ને યુરોપીય દેશોમાં લઈ જવામાં આવ્યું
કમળ નદી નાળામાં અથવા કાદવ માં ખીલે છે કમળ નો રંગ આછો ગુલાબી અને સફેદ હોય છે કમળ વેયતનામ નું અને ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે કમળ નો ઉપયોગ દવા બનાવવામાં થાય છે અને સાથે લોકો કમળના ફૂલની સજાવટ પણ કરે છે કોરિયામાં કમળના ફૂલની વનસ્પતિ ની ચા તરીકે પણ ઉપયોગ કરે છે જેને હર્બલ ટી કહેવામાં આવે છે એની સાથે વેયતનામ અને ચાઇનામાં પણ એનું ખાસ મહત્વ છે
ત્યાંના લોકો ચા ને સુગંધ આપવા અને સૂપ બનાવવામાં ઉપયોગ કરે છે કમળનું હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પણ એક ખાસ મહત્વ છે હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ લક્ષ્મીજી અને સરસ્વતી દેવીના હાથ માં હંમેશા ખીલેલું કમળ હોય છે અને સાથે દેવી-દેવતાઓને હંમેશા કમળ પર બેઠેલા દર્શાવાય છે હિન્દુ ધર્મની સાથે-સાથે બૌદ્ધ ધર્મ કમળ વાણી શરીર અને મગજની પવિત્રતા દર્શાવે છે કમળ જેમ કાદવમાં ખીલે છે
છતાં તે પવિત્ર છે તેમ મગજ વાણી અને શરીરને કાદવ માં રહીને પણ પવિત્ર બનાવી શકાય ગૌતમ બુદ્ધ ને હમેંશા કમળ પણ બેસાડેલા દર્શાવાય છે ઈજિપ્તમાં પણ પ્રાચીન કાળમાં દીવાલો અને સ્તંભોમાં કમળનું ચિત્રન કરવામાં આવતું જેના ઉલ્લેખો જોવા મળે છે