જળ એજ જીવન વિષે નિબંધ jal ej jivan nibandh
જળ એટલે કે પાણી પૃથ્વી માટે જળ કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે પૃથ્વી પર જીવોને જીવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે જેમાં હવા પાણી અને ખોરાક જળને પૃથ્વી પરનું અમૃત ગણવામાં આવ્યું છે
જો પૃથ્વી પર પીવા માટે જળ નો હોય તો પૃથ્વી પર રહેલ કોઈ પણ જીવ પોતાનું જીવન જીવી શકતા નથી પૃથ્વી પર માત્ર બે ટકા જેટલું જ પાણી પીવા લાયક છે પાણીનો જેમાં 10% પાણી લોકો પીવામાં અને ઘર વપરાશ માટે ઉપયોગ કરે છે 70% પાણી ખેતીમાં સિંચાઈ માટે વપરાય છે
20 ટકા મોટા મોટા કારખાનાઓ અને ઇન્ડસ્ટ્રીઝ માં વપરાય છે પૃથ્વી પર પાણી વરસાદ જમીનમાં કરેલ બોરવેલ નદી તળાવ અને કૂવામાંથી મળે છે જ્યારે વાર્ષિક પાણી 1700 ઘન મીટર કરતા ઓછું હોય ત્યારે પાણીની અસર પડે છે
છેલ્લા 70 વર્ષમાં 30 થી 20 લાખ તળાવ કુવા સરોવર સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયેલ છે જમીનની અંદર રહેલું પાણી ની સ્થિતિ પણ ખરાબ છે 1993માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભાએ 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો
સમગ્ર વિશ્વમાં 22 માર્ચ નો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે લોકો મનાવે છે વિશ્વ જળ દિવસ બનાવવાનો હેતુ એ છે કે લોકોને પાણીને બચાવવાની પ્રેરણા મળે પૃથ્વી પર પીવા લાયક પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે
આપણે જળનો સંચય કરવો જોઈએ પ્રાચીન કાળમાં પણ પાણીના સંચયનું ઘણું મહત્વ હતું. વરસાદના પાણીને સાચવવા માટે લોકો તળાવના નિર્માણ કરતાં હતાં જેના કારણે ઉનાળામાં પણ પાણીની સગવડ મળી રહેતી
આજકાલ મોટા મોટા કારખાનાઓ પીવાલાયક પાણીની નદીઓમાં કારખાનામાંથી નીકળેલ ગંદુ પાણી નદીમાં છોડી દે છે જેથી નદીઓમાં પીવાલાયક પાણી રહેતું નથી 21 મી સદીની માંગ છે કે પીવાના પાણીનો સંચય કરો
પાણીનો બગાડ ન કરો હજી પણ આપણી પાસે સમય છે કે આપણે પીવાના પાણીને સાચવી લઈએ જો જળનો બગાડ ન અટક્યો તો આવનારી પેઢીઓ ને પીવાના પાણી માટે મુશ્કેલી થઈ શકે છે અને પૃથ્વી પર રહેલા જેઓને પણ મુશ્કેલી થઈ શકે છે
પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે
પાણીનું મુખ્ય સ્ત્રોત તો સમુદ્રને માની શકીએ કારણ કે સૂર્યની ગરમીને કારણે સમુદ્રનું પાણી ગરમ થઈ વરાળ રૂપે અવકાશમાં વાદળા બંધાય છે અને વાદળાથી વરસાદ થાય છે વરસાદ પડવાથી વરસાદનું પાણી જમીન પર પડે છે નદી નાડાઓ અને કુવાઓ છલકાઈ જાય છે અને બીજું પાણી જમીનમાં ઊંડાણમાં ઉતરી જાય લોકો ઉનાળામાં બોરવેલ કરી અથવા કુવા ગાડી તે પાણીનો ઉપયોગ કરે છે પણ એના મુખ્ય સ્ત્રોત વરસાદ કુવાઓ બોરવેલ અને નદીઓ છે
પાણીનું પ્રદૂષણ
પાણીનું પ્રદૂષણ પાણીની અંદર કચરો ફેલાવવાથી થાય છે જેમ કે મોટા મોટા શહેરોમાં લગાવેલી ફેક્ટરી માંથી ગંદુ પાણી નદી નાડાઓમાં છોડવામાં આવે છે તેથી નદી નાળાઓમાં નુકસાનકારક કેમિકલો ભળી જાય છે જે પાણીને પીવા લાયક રહેવા દેતું નથી અને તે પાણી પીવાથી ઘણી પ્રકારની બીમારીઓ થાય છે અમુક અમુક ફેક્ટરીઓ બોરવેલ કરી અને ફેક્ટરીનું ગંદુ પાણી તેમાં નાખે છે જેથી આજુબાજુમાં રહેતા લોકોએ કરાવેલ બોરવેલમાં પાણી ખરાબ થઈ જાય છે અને પીવા લાયક રહેતું નથી નદીનાડાઓમાં લોકો શેમ્પૂ અને સાબુ જે નુકસાનકારક કેમિકલ થી બને છે તેને સીધા નદીમાં નાય છે અને પાણીને દૂષિત કરે છે ધરતી પર જેટલું પાણી છે તેનું એક ટકો જ પાણી પીવા લાયક છે જો પાણીને પ્રદૂષિત થતું અટકાવવામાં નહીં આવે તો પીવાનું પાણી મળવું મુશ્કેલ થઈ જશે
પાણીના સ્ત્રોત એટલે શું
પાણીના સ્ત્રોત એટલે જેના દ્વારા આપણને પાણી મળે છે તેને સ્ત્રોત કહેવામાં આવે છે જેમ કે વરસાદ વરસે અને એનું પાણી આપણને મળે તો એ એક પાણીનો સ્ત્રોત છે આપણે કૂવામાંથી પાણી ઉપયોગ કરવા માટે બહાર કાઢીએ તો તે એક પાણીનો સ્ત્રોત છે આપણે નદીમાંથી પાણીનો ઉપયોગ કરીએ તો તે પણ એક પાણીનો સ્ત્રોત છે એવી રીતે આપણે જે બોરવેલ કરાવીએ છીએ તે પાણીનો સ્ત્રોત છે ટૂંકમાં વાત કરીએ તો જ્યાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં પાણી મળે તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે
પાણી બચાવવાના ઉપાયો
પાણી બચાવવા માટે ખોટી રીતે પાણીનો બગાડ ન કરો. જેટલી જરૂરિયાત હોય તેટલું જ પાણીનો ઉપયોગ કરો. ખોટી રીતે નળ ચાલુ ન કરો જેમકે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોય તો પાણીનો બગાડ કરતા હોઈએ છીએ ખોટી રીતે પાણીને વહેવા દઈએ છીએ જે થતું અટકાવવું જોઈ
FAQ Commonly Asked Questions સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નો
પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે
પાણીનો મુખ્ય સ્ત્રોત સમુદ્ર છે
પાણી નો સમાનાર્થી શબ્દ
પાણીનો સમાનાર્થી શબ્દ જળ છે
પાણી નો અર્થ
પાણી વગર પૃથ્વી પર જીવન સંભવ નથી
પાણીના સ્ત્રોત એટલે શું
જેના દ્વારા આપણને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત પૂરી થઈ તેને પાણીનો સ્ત્રોત કહેવામાં આવે છે