સ્વચ્છતા ત્યાં પ્રભુતા swachhta tya prabhuta nibandh gujarati ma
સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે નિબંધ Cleanliness There Dominance Gujarati Essay in Gujarati
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ નો વાસ હોય છે ભારતમાં એક સૌથી મોટો પ્રશ્ન છે સ્વચ્છતાનો ભારતમાં તમે ગમે ત્યાં જાવ રોડ રસ્તા પર તમને કચરો મળી જાય છે લોકો પોતાના કચરાને કચરાપેટી માં નાખવાની પણ તકલીફ લેતા નથી અને રોડ રસ્તા પર કચરો ગમે ત્યાં ફેંકી દે છે ભારતમાં સૌથી વધુ કચરો પ્લાસ્ટિક દ્વારા ફેલાય છે જેનું પરિણામ રોડ રસ્તા પર રખડતા ઢોર ને ભોગવવું પડે છે
રસ્તે રખડતા ઢોર પ્લાસ્ટિક પર લોકો એઠવાળ નાખે છે એટલે રસ્તે રખડતી ગાયો એઠવાળ સાથે પ્લાસ્ટિક પણ ખાઈ જાય છે અને તે બીમાર પડી જાય છે અને તેનું મૃત્યુ થાય છે લોકોએ કચરો એટલો બધો ફેલાવ્યો છે કે પવિત્ર ગણાતી નદીઓ પણ હવે સ્વચ્છ નથી રહી મોટા મોટા કારખાનાઓ અને ફેક્ટરીઓ નું કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવામાં આવે છે જેથી નદીઓ દૂષિત થઈ જાય છે
સમુદ્રમાં પણ કચરો ફેલાઈ રહ્યો છે જેથી જળ માં રહેનાર જીવો ને ખૂબ જ નુકસાન થાય છે એક કરવામાં આવેલ સર્વ અનુસાર હવે હવા મા પણ માઈક્રો પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો છે લોકો ગમે ત્યાં કચરો ફેંકી દે છે કચરાને ભારતનો રાષ્ટ્રીય રોગ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી સ્વચ્છતા ત્યાં પ્રભુતા નું વાક્ય મહાત્મા ગાંધીએ આપ્યું હતું મોટાભાગની બીમારીઓ ગંદકીને લીધે જ ફેલાય છે
ગંદકી હોવાને કારણે લાખો લોકો રોગોના ભોગ બની રહ્યા છે લોકો રોડ રસ્તા પર પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું આપણે સર્વે આજે જ સંકલ્પ લેવો જોઈએ કે કચરો હંમેશા કચરાપેટીમાં જ નાંખીશું તો ચાલો આપણે સૌ સાથે મળીને ભારતને સ્વચ્છ બનાવીએ
સ્વચ્છતા વિશે અને સ્વચ્છતા નું મહત્વ Information about cleanliness and importance of cleanliness in Gujarati
આપણે હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ ઉદાહરણ તરીકે તમે વાળ ઓળિયા વગર કે નાયા વગર શાળાએ કે બહાર જાવ તો બધા દૂર થવા લાગે છે જેટલી શરીરને સ્વચ્છતા રાખીએ તેટલું મન પ્રફુલિત રહે છે અને ઘરની અંદર જેટલી સફાઈ કરીએ તેટલું જ વાતાવરણમાં આનંદમાં રહે છે
.
સ્વચ્છતા તબીબ સાથે પણ જોડાયેલી છે હાથના કાન પગ મોઢું ની સફાઈ રાખવાથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી મોટાભાગે સ્વાસ્થ્ય ગંદકીના કારણે જ બગડે છે જેમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે મચ્છર ચોમાસામાં ખાડા ખાબોચિયા ભર્યા હોય પાણીના તેમાં મચ્છર પોતાના ઈંડા મૂકે છે અને માંદુ મચ્છર જો ડંખ મારે તો શરીરમાં બીમારી ઘર કરી જાય છે
તમે જેટલી ચોખાઈ રાખશો તેટલું જ તમારું શરીર સ્વચ્છ રહેશે શરીર જ નહીં કરને પણ સ્વચ્છ રાખવું જરૂરી છે ગામડામાં અથવા શહેરોમાં જ્યાં ત્યાં એઠવાડ ફેંકવામાં આવે છે ખરાબ શાકભાજીઓ પ્લાસ્ટિક ખરાબ પાણી o દ્વારા ગંદકી ફેલાય છે ગામડાઓમાં શેરીઓમાં ઠેર ઠેર છાણના ઉકરડા જોવા મળે છે ઉકરડાઓ ગંદકી કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે
સ્વચ્છ ભારત અભિયાન નું મહત્વ માનવામાં Importance of Swachh Bharat Abhiyan
હંમેશા સ્વચ્છતા રાખો અને સ્વચ્છ રહો સરકારો પણ સમય સમયે સ્વચ્છતા માટે સામાન્ય માણસોને જાગૃત કરવા અવનવા અભિયાનનો ચલાવે છે જેમાં 2ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતી પર 2014માં સ્વચ્છ ભારત અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ ગંદકીને સાફ કરવાનો અને શૌચાલયનો ઉપયોગ કરવાનો હતો
જેમાં ઘણો સુધારો જોવા મળ્યો ગામડાઓના સામાન્ય માણસો પણ સ્વચ્છતાને લઈને જાગૃત થયા અને રોડ રસ્તાઓમાં ગામડાઓમાં સાફ-સફાઈ થવા લાગી સંપૂર્ણ ભારતને સ્વચ્છ રાખવામાં સરકારનો પૂર્ણ પ્રયત્ન રહે છે કે લોકો સફાઈમાં વધુને વધુ જાગૃત બને
સ્વચ્છતા વિશે વાક્ય
- સ્વચ્છતા રાખવાથી રોગો માં ઘટાડો થાય છે
- સ્વચ્છતા રાખવાથી માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય છે
- સ્વચ્છતા રાખવાથી ઘર સ્વર્ગ બની જાય છે
- સ્વચ્છતા રાખવાથી આનંદનો અનુભવ થાય છે
- સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પ્રફુલિત થઈ જાય છે
સ્વચ્છતા વિશે સૂત્રો
સ્વચ્છતા વડે જીવન સુધરે
ગંદુ કર રોગનું ઘર
ગંદકીનું રોકાણ રોગનું ફળ