મોર વિશે નિબંધ ગુજરાતીમાં વિશે નિબંધ ગુજરાતીમાં mor vise nibandh gujarati ma
નમસ્કાર મિત્રો આજે આપણે નિબંધ લેખન કરીશું mor vishe nibandh gujrati (Essay on peacock in gujarati )
મોર વિશે નિબંધ મોર પૃથ્વી પરનું સૌથી સુંદર પક્ષી છે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને સાથે મ્યાનમારનો પણ રાષ્ટ્રીય પક્ષી છે મોર ભારતના મોટાભાગની જગ્યાએ જોવા મળે છે તે જંગલમાં રહેવું વધુ પસંદ કરે છે અને સાથે માનવવસ્તી નજીક પણ રહેવાનું પસંદ કરે છે સામાન્ય રીતે મોર ગામડામાં જંગલમાં અને જ્યાં પાણી સરળતાથી મળી રહે છે
ત્યાં વધુ જોવા મળે છે મોર પક્ષીઓ નો રાજા પણ કહેવામાં આવે છે મોરને લાંબી ડોક અને માથે કલગી હોય છે મોરની આંખો ખૂબ જ સુંદર હોય છે મોરની ગરદન રંગબેરંગી અને ચમકદાર હોય છે મોર રંગબેરંગી પીછા ધરાવે છે મોરના પીછા આશરે 200થી અઢીસો હોય છે મોરના પીછા પર ચંદ્ર જેવા ટપકાં હોય છે
મોરના રંગીન પીંછા તેને સુંદર દેખાવામાં મોટી ભૂમિકા નિભાવે છે મોર બીજા પક્ષીઓ કરતાં વધુ વજનદાર પક્ષી છે જેનું વજન લગભગ ૪ થી ૬ કિલો હોય છે માદા મોર નું વજન ત્રણથી ચાર કિલો હોય છે જેને ઢેલ કહેવામાં આવે છે મોર ના પગ રાખોડી રંગના હોય છે મોર નો કલર બ્લુ ભૂરો અને લીલો હોય છે મોર શું ખાય છે મોર ખોરાકમાં અનાજના દાણા જીવ જંતુ ફળ ખાય છે મોર નું પ્રિય ભોજન સાપ છે તેને ખાવામાં ખૂબ જ પસંદ કરે છે
મોર માળો બનાવતો નથી તે જંગલ વિસ્તારમાં જમીન પર રહે છે મોર એક સતર્ક પક્ષી છે સાથે બુદ્ધિમાન પણ છે મોરની કોઈ ભાઈ જેવી પરિસ્થિતિ લાગે ત્યારે ઝડપથી દોડવા માંડે છે મોર ઉડવાનું ઓછું પસંદ કરે છે કારણકે મોરનું શરીર ભરાવદાર હોય છે અને તેથી તેને ઉડવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે મોર ચોમાસામાં અથવા અષાઢ મહિનો શરૂ થાય ત્યારે વાદળો ગડગડાટ કરતા હોય વીજળી ચમકારા કરતી હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે ગોળ ગોળ ફરી પોતાના પીછા ફેલાવી અને મોર કળા કરે છે
મોર પીંછા ફેલાવીને ઢેલ આકર્ષવા માટે પણ કડા કરે છે મોર સામાન્ય રીતે વહેલી સવારમાં અથવા તો સાંજ સમયે ખોરાકની શોધમાં નીકળે છે મોટાભાગે મોર બપોરના સમયે લીમડા જેવા ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર આરામ કરવાનું પસંદ કરે છે મોર હિન્દુ ધર્મમાં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે ભગવાન શ્રીકૃષ્ણએ પણ મોરનું પીછું પોતાના મુગટમાં ધારણ કરતા હતા અને તેની સાથે જ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન પણ માનવામાં આવે છે
સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે હિંદુ ધર્મ માન્યતા મુજબ રાત્રિના સમયે જો મોર બોલે તો અપશુકન ગણવામાં આવે છે રાત્રિના સમયે મોરનું બોલવું તે ખરાબ ઘટના બનવાની આશંકા દર્શાવે છે તેથી તેને અપશુકન માનવામાં આવે છે મોરને રાષ્ટ્રીય પક્ષી કેવી રીતે બનાવવામાં આવ્યો હતો સન 1863માં ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું
૧૯૬૦માં તમિલનાડુના રાજ્યના મંડલમ નામના એક ગામમાં મીટીંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં રાષ્ટ્રીય પક્ષી નક્કી કરવાની ગાઈડલાઈન અનુસાર દેશના દરેક ભાગમાં જોવા મળતા ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા અને દેશના તમામ લોકો
જાણતા મોર રાષ્ટ્રીય પક્ષી બનવા માટે ખરો ઉતર્યો જેથી તેને રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યું ભારતમાં મોરની સંખ્યા ખૂબ જ ઓછી છે મોરનો શિકાર પર પ્રતિબંધ છે મોર ને ભારતીય વન સરક્ષણ ધારા દ્વારા કાયદા નું રક્ષણ મળે છે ગ્રામ્ય વિસ્તારમાં મોરની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે
મોર વિશે માહિતી ગુજરાતી mor vishe mahiti
મોર નો અવાજ ટહુકો
મોર વિશે 10 વાક્યો mor vishay vakya
- મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે
- મોરને પીછા અને માથે કલગી હોય છે
- મોરની ગરદન રંગબેરંગી અને ચમકદાર હોય છે
- મોરના પીછા આશરે 200થી અઢીસો હોય છે
- મોરને 26 જાન્યુઆરી 1963ના રોજ રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આ૫વામાં આવ્યો હતો
- ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુકુટ પર મોરપીંછ ધારણ કરતા હતા
- મંદિરોમાં ભગવાનની મૂર્તિને સાફ કરવા માટે મોરના પીંછામાંથી બનેલી સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે
- લાંબી પાંખો અને વાદળી રંગ ધરાવતો મોર નર હોય છે,
- આછો લીલો અને સફેદ રંગ ધરાવતો મોર માદા મોર હોય છે
- મોર નું વજન વધુ હોવાથી તે ઉડવાનું ઓછું પસંદ કરે છે